Ph.D. Admission 2024-25 - Saurashtra University, Rajkot

Saurashtra University, Rajkot

Ph.D. Admission 2024-25 Second Round DRC અંગેની માહિતી:

જે વિદ્યાર્થીઓએ Ph.D. Admission 2024-25 Second Round માટે જે તે વિષય માટે ઓનલાઈન અરજી કરી, ફી ભરી ને જે તે વિષયના ભવનમાં પોતાની રીસર્ચ પ્રપોઝલ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ નું વેરીફીકેશન કરી ને જમા કરાવેલ છે તેવા જ વિદ્યાર્થીઓ DRC માટે લાયક થયેલ છે. જે તે વિષયની DRC નો કાર્યક્રમ જે તે વિષયના ભવન ની વેબસાઈટ પર મુકવામાં આવશે. DRC ની પ્રક્રિયા મોડા માં મોડી પૂર્ણ કરવાની તા: ૨૦-૦૨-૨૦૨૫ છે. આથી તમામ વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીની વેબસાઈટ: https://saurashtrauniversity.edu/university-updates/ અચૂક જોવી અને DRCના નક્કી કરેલા કાર્યક્રમ મુજબ DRC માટે જે તે વિષયના ભવનમાં અચૂક હાજર રહેવું. DRC સમક્ષ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેશે તેઓ પ્રવેશ માટે લાયક ગણાશે નહિ.


DRC ના આયોજન અંગે

શૈક્ષણીક વર્ષ- ૨૦૨૪-૨૫ માટે ખાલી જગ્યાઓ પર Ph. D. એડમીશનની માર્ગદર્શિકાઓ (બીજો રાઉન્ડ):

શૈક્ષણીક વર્ષ- ૨૦૨૪-૨૫ માટે જે તે વિષય માં પ્રથમ રાઉન્ડ ના અંતે રહેલી ખાલી જગ્યાઓ પર Ph. D. પ્રવેશ માટે યુનિવર્સીટી દ્વારા Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની કાર્યવાહી તારીખ ૦૬/૦૧/૨૦૨૫ થી તારીખ: ૧૫/૦૧/૨૦૨૫ સુધી કરવામાં આવેલ હતી. તારીખ: ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ માનનીય કુલપતિશ્રી અને કો-ઓર્ડીનેટરશ્રી ની મળેલ મીટીંગમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અંગે નીચે મુજબ નિર્ણય કરેલ છે.


  1. શૈક્ષણીક વર્ષ- ૨૦૨૪-૨૫ માટે જે તે વિષય માં પ્રથમ રાઉન્ડ ના અંતે રહેલી ખાલી જગ્યાઓ પર Ph. D. પ્રવેશ માટે નીચે મુજબના વિદ્યાથીઓ લાયક ગણાશે:
    1. ભૂતકાળ માં UGC- NET JRF/ CSIR-JRF પાસ કરેલ હોય
    2. ભૂતકાળ માં UGC-NET કે GSET કે December 2024 માં લેવાયેલ GSET પાસ કરેલ હોય
    3. ભૂતકાળ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય અને PET પરીક્ષા પાસ કર્યા અંગેના જરૂરી આધારો ધરાવતા હોય.
  2. પ્રથમ રાઉન્ડના અંતે જે તે વિષયમાં રહેલી ખાલી જગ્યાઓની યાદી આ સાથે પરિશિષ્ટ-૧ થી મુકેલ છે.
  3. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રકિયા આગામી તા: ૧૮-૦૧-૨૦૨૫ સવારે ૧૦.૩૦ કલાક થી તા: ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ સુધી કરી શકાશે. તારીખ: ૦૬/૦૧/૨૦૨૫ થી તારીખ: ૧૫/૦૧/૨૦૨૫ સુધી જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
  4. ઉપરોક્ત (૧). મુજબના જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph. D. એડમીશન માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે અને વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph. D. એડમીશન મળેલ નથી તેવા વિદ્યાર્થીઓએ જો પ્રથમ રાઉન્ડ માં રૂ. ૧,૫૦૦/૦૦ ફી ભરી હોય તો કોઈ ફી ભરવાની નથી. પરંતુ જે કોઈ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ માં રૂ. ૧,૫૦૦/૦૦ ફી ભરી ન હોય તો રૂ. ૮૦૦/૦૦ Ph.D. Admission પ્રોસેસ ફી ભરવાની રહેશે. આ ઉપરાંત આવા વિદ્યાથીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર અચૂક રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. અને તમામ જરૂરી સર્ટીફીકેટસ અપલોડ કરવાના રહેશે.
  5. ઉપરોક્ત (૧). મુજબના જે વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર વર્ષ- ૨૦૨૪-૨૫ માટે Ph. D. એડમીશન માટે રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓ પણ ખાલી રહેલ જગ્યાઓ પર પ્રવેશ માટે લાયક ગણાશે. આવા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ પોર્ટલ પર અચૂક રજીસ્ટ્રેશન રૂ.૧,૧૦૦ (૩૦૦ GCAS રજીસ્ટ્રેશન ફી તથા ૮૦૦ Ph.D. Admission પ્રોસેસ ફી) ભરીને કરાવવાનુ રહેશે. અને તમામ જરૂરી સર્ટીફીકેટસ/ આધારો અપલોડ કરવાના રહેશે.
  6. જે વિદ્યાર્થીઓએ UGC-JRF/CSIR-JRF પાસ કરેલ છે તેવા જ વિદ્યાર્થીઓ DRC માટે સીધાજ લાયક ગણાશે. તેમને મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે નહિ. માત્ર DRC ના ૩૦% ગુણાંકન ને મેરીટ માટે UGC ના નિયમ મુજબ ૧૦૦% માં પરીવર્તન કરવાનું રહેશે. અને પ્રવેશ પાત્ર ગણવાના રહેશે.
  7. જે વિદ્યાર્થીઓએ UGC-NET- GSET કે December 2024 માં લેવાયેલ GSET પાસ કરેલ હોય તથા ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓના ના પરીણામ પત્રક માં જો માર્કસ દર્શાવેલ હશે તો તેના આધારે પ્રવેશ ના મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે.
  8. જે વિદ્યાર્થીઓએ UGC-NET- GSET કે December 2024 માં લેવાયેલ GSET પાસ કરેલ હોય તથા ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા લેવાયેલ PET પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓના ના પરીણામ પત્રક માં જો માર્કસ દર્શાવેલ ન હોય તો સામાન્ય કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે UGC-NET/ GSET કે સૌ. યુનિ. PET ના ગુણ ૫૦ અને અનામત કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે UGC-NET/ GSET કે સૌ. યુનિ. PET ના ગુણ ૪૫ ગણવાના રહેશે. અને તેના આધારે પ્રવેશ ના મેરીટ માટે ૭૦% અને ૩૦% નું ધોરણ લાગુ પડશે.
  9. જે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪- ૨૫ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે પોતાના રજીસ્ટ્રેશનના ફોર્મ ની પ્રિન્ટ લેવાની રહેશે. આ પ્રિન્ટ ની નકલ, તમામ જરૂરી સર્ટીફીકેટસ/આધારો અને સંશોધન દરખાસ્ત (Research Proposal) ની પાંચ નકલ જે તે વિષય ના ભવનમાં અને જે વિષય ના ભવન નથી તે વિષય જેવા કે Performing Arts-Vokal અને Political Science માટે PGTR વિભાગ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી મેઈન બિલ્ડીંગ માં તા: ૨૩-૦૧-૨૦૨૫ થી તા: ૨૪-૦૧-૨૦૨૫ સુધીમાં ઓફીસ સમય દરમિયાન રૂબરૂ તમામ જરૂરી ઓરીજીનલ સર્ટીફીકેટસ સાથે હાજર રહીને અપલોડ કરેલ સર્ટીફીકેટસ/આધારોની ચકાસણી કરાવીને જમા કરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અપલોડ કરેલ સર્ટીફીકેટસ/આધારોની ચકાસણી માટે હાજર નહિ રહે તો પ્રવેશ માટે હક્કદાર રહેશે નહિ.
  10. યુનીવર્સીટીના Ph.D. Admission -૨૦૨૪-૨૫ માટે જે તે વિષયની DRC ની સંપૂર્ણ માહિતી હવે પછી યુનીવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ નિયમિત રીતે વેબસાઈટ જોતા રહેવું. કોઈને પણ વ્યક્તિગત લેખિત રીતે જાણ કરવામાં આવશે નહિ.
  11. જો કોઈ વિદ્યાર્થી બે વિષયમાં અનુસ્નાતક ડીગ્રી ધરાવતા હોય તો તેઓએ માત્ર એકજ અનુસ્નાતક વિષયમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  12. અરજદારે સૂચનાઓ / નિયમોનો પૂરેપૂરો અભ્યાસ કર્યા બાદ જ ફોર્મ ભરવું. અરજદારે લાયકાતના ધોરણને ધ્યાનમાં રાખી પોતે નિયત લાયકાત ધરાવતા હોય તો જ ફોર્મ ભરવું.
  13. જો ઉમેદવારે ખોટા દસ્તાવેજો રજૂ કરી પીએચ.ડી. પ્રવેશ મેળવેલ હશે તો તે ઉમેદવારનું પીએચ.ડી. પ્રવેશ કોઇપણ તબક્કે રદ કરવામાં આવશે.
  14. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪–૨૫ ની પીએચ.ડી. પ્રવેશ બીજા રાઉન્ડ ના પ્રવેશ સંબંધિત કોઇપણ પ્રકારનો આખરી નિર્ણય લેવાની સત્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રહેશે.